Friday 19 August 2022

બ્રહ્મપુત્રા નદ ના ચોખા યાની ડાંગર ની માહિતી

મનુષ્યના સ્વાદ અને રુચિ પર હવા, પાણી અને ભૌગોલિક પરિવેશનો પ્રભાવ હોય તે સ્વાભાવિક છે. અહોમ યા ત્સંગપો યા બ્રહ્મપુત્રા ના આજુબાજુ ના વિસ્તાર માં મુખ્ય ખેતપેદાશ ચોખાની વિવિધ જાતિઓ આહુ, બાઓ અને શાલિ છે. ચોખાની એક સ્વાદિષ્ટ જાત ‘જોહા' છે. 

તેમાં યાની જોહા ના પણ અનેક પ્રકાર છે. 

સફેદ ‘જોહા', 
કાળા ‘જોહા’, 
ખોરિકા જોહા’, 
મારી જોહા’, 
પ્રસાદભોગ જોહા’, 
મોહનભોગ જોહા’, ‘
રામપાલ જોહા’, 
ઘઉંની જોહ’, 
મણિકી મધુરી જોહા’, 
માલભોગ જોહા’, 
કુણકુણી જોહા' .....
વગેરે આ લાંબી યાદી પાદ કરતાં કરતાં ‘રામપાલ જોહા’ના રાંધેલા ભાતની સુગંધ અને સ્વાદ મારા મનમાં તાજા થઈ ગયા.

(ધાન) ડાંગર તો અસમની લોકસંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ડાંગર માતૃશક્તિ અને પૌરુષ બન્નેનું પ્રતીક છે. ડાંગરના ગર્ભમાંથી જ ચોખા નીકળે છે. 

અહીંની યાની આહોમ આસામ યા બ્રહ્મપુત્રા ના કીનારા ના લોકોની લોકકથા અનુસાર પહેલાં ચોખા પર ડાંગરનાં ફોતરાં ન હતાં. એકવાર કોઈ લાલચુ બ્રાહ્મણને ખેતરમાં ઉગેલા છોડ પરથી જ ચોખા તોડીને ખાતો જોયા પછી લક્ષ્મીજીએ ચોખા પર ડાંગરનાં ફોતરાંનું આવરણ ચડાવી દીધું. તેવી અહીંના લોકો કોઠીમાં ડાંગર ભરીને ત્યાં દીપક પ્રગટાવે છે. કોણ જાણે ક્યારે ત્યાં લક્ષ્મીનો પ્રવેશ થઈ જાય ! કોઠીમાંથી ડાંગર કાઢતી વખતે પણ ત્યાં શરાઈ (વાતુ અથવા લાકડાની બનેલી થાળીમાં ગૉળ, ખાંડ, કેળાં, તાંબૂલ વગેરે નૈવેદ્ય રૂપે રાખવામાં આવે છે.)

No comments:

Post a Comment