Saturday 19 August 2023

કૃપાળુ મહારાજની ક્ષુબ્ધ અવસ્થા



આજે હું જૂના ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું કે જ્યારે શ્રી કૃપાલુ મહારાજે તેમના પ્રવચનમ અને અર્થ કર્યા હતા જ્યારે એઓ એમની ક્ષુબ્ધ અવસ્થા કુદરતી નિયમો દ્વારા આપોઆપ બની હતી ... એઓ કંઇજ બોલી નહતા શકતા માત્ર આંખ થી આંસુ નીકળતા હતા..  તેઓ ખૂબ રડ્યા અને બીજા કોઈ શબ્દ નહીં પરંતુ માત્ર રડ્યા હતા...આ વિડિયો અત્યારે યુટ્યુબ પર ઉપલબ્ધ છે પણ ચેનલ પર મને મળી રહ્યો નથી...

આ ક્ષણને સમજાવવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ આજે હું મારા કાકાની વિગત ભાળી કહી રહ્યો છું. તેઓ ક્ષુબ્ધ બની સાંન ભાંન વીસરી, આંખો ના ડોળા ઊંચે ચડાવી દેતા દવાખાને દાખલ કર્યા હતા..પણ એમને કોઈ વાત નો છોછ નહતો..નિખાલસ વાતો મારી અને મમ્મી સાથે તેઓએ કરીછે ત્યારબાદ તો..

અતિશય ધાર્મિક રહેલી વ્યક્તિને ખરેખર જો ક્યારેક સારું કામ કરવું જ હોય તો તે ચોક્કસ કર્મના એક ભાગના કર્મ રૂપે એ જૂની વાતોને યાદ કરી જો પસ્તાતા કરે છે તો એને એની ચોક્કસ સંયોગીકરણ યોગીક અવસ્થામાં પણ એનું ભાન થતા એ આંસુ રૂપે બહાર નીકળી જતી હોય છે અને એનું જીવન ચોખ્ખું થતું હોય છે..

મને કૃપાળુ મહારાજ વિષય વધારે ખબર નથી પણ નિત્યાનંદજી મહારાજની વાતો youtube માં સમાચારમાં ઝલકતી રહેતી હોય છે..

કોઈ જ માણસ સતત સારા વિચાર તો ક્યારેય પણ કરી શકતો નથી અને જો તે કરી શકતો હોય તો તે પોતાની મૂળ અવસ્થામાં નથી .. આ વૈશ્વિક ધારા ધોરણનો, મારો અપનાવેલો નિયમ છે અને આથી જ કર્મ અકર્મ વિકર્મ સાથેની પ્રકૃતિની અંદર ચોક્કસ પ્રકારના કૃત્યનો આપણે દરેક જણ ભોગ બનતા હોઈએ છીએ..

ઘણાને શુદ્ધ ક્ષુબ્ધ અવસ્થા આવતી હોય છે અથવા તો ઘણાને લો પ્રેશર થઈ જતું હોય છે અથવા તો ઘણાને હાઈ બ્લડ પ્રેશર થઈ જતું હોય છે પણ રક્તચાપની જે સ્થિતિ આપણે મેળવતા હોઈએ છીએ, તેમાં આપણા વિભાગીય સ્પંદનો જે તે અવસ્થાના ચરમસીમાના સંકળાયેલા બીજા સજીવોના મનચક્ષુ તથા મન:અવસ્થા ના કૃત્યનો એક પ્રકારના ભાગ કે ભોગ ની રીતે આપણે પણ એના તાદાત્માના સાધ્ય અવસ્થાની અંદર વિભાગીય સ્પંદન થી આપણે આપણી પોતાની સ્થિતિ અનુરૂપ અનુભવી શકીએ છીએ અને એની અનુભૂતિ પણ કરીએ છીએ.. 

સાચે જ આ વાણી ની ભાષા સમજવી કઠણ છે પણ આધ્યાત્મિક સંજોગોમાં રહેલા ચોક્કસ પ્રકારના મનુષ્યો આ વાત સમજી શકશે.. જો આ માટે હું અહીં એક ઉદાહરણ પણ આપી રહ્યો છું જે ઇસ્કોન દ્વારા ભક્તિ વેદાંત સ્વામીની ભગવદગીતા ના પુસ્તકની અંદર ચિત્રોના ફળ સ્વરૂપે આપેલી છે...
સજીવ સૃષ્ટિનું સંચાલન પ્રભુ કરે છે એ વાતમાં કોઈ મીનમેખ નથી.. પણ સંચાલનના તબક્કામાં દર્શાવતો સમયનો ગાળો અથવા તો જે તે પ્રકારનું ક્ષેત્ર અને એક ક્ષેત્રનો ક્ષેત્રજ્ઞાન જે પણ રીતે આપણી સાથે તાદાત્મક કરે છે શું આપણે એને ઓળખી શકીએ છે ના કદાચ એ ઓળખવા માટે તો બહુ પ્રભુ કૃપા ની સંમતિ જરૂરી છે..

મને તો હજી મારા કામવાસના આવેગ ની અંદર શિશ્ન ઉત્તેજિત થયું છે કે પછી કોઈ બીજા થકી પ્રેરિત થઈને સ્તભન થયું છે એ પણ ખબર નથી પડતી...

શુદ્ધ અવસ્થા નું સંતુલન જે પણ કોઈ કરતા હોય તે પરમ સત્ય તત્વોને મારા પ્રણામ

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
Jigaram Jaigishya is jigar:




No comments:

Post a Comment